તૈયાર કરેલ પનીરને 10 મિનિટ માટે સારી રીતે મેશ(મસળો) કરો.
ત્યાં સુધી મેશ કરો જ્યાં સુધી પનીર સરળ અને નરમ ન થાય.
હવે દળેલી ખાંડ નાંખો અને બરાબર મિક્સ કરો.
તૈયાર થયેલ પનીરના મિશ્રણને એક કડાઈમાં ધીમી આંચ પર ગરમ કરવા મૂકવું.
5 મિનિટ સુધી પાણીના ભાગને બળવા દેવું પછી તેમાં ઇલાયચી પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લો.
તેને 5 મિનિટ સુધી ઠંડું થવા દો.
આગળ, એકવાર થોડું ઠંડું થાય તે પછી નાના ચપટા ગોળા તૈયાર કરો અને મધ્યમાં ખાડો બનાવો અને તેમાં ટૂટીફ્રૂટી, બદામ અથવા પિસ્તાથી ગાર્નિશ કરીને સંદેશને સર્વ કરો.