સૌ પ્રથમ ચોખા અને તુવેરદાળને 2-3 વાર ધોઈ 4–5 કલાક પલાળીને તેને પીસી લેવું.
હવે આ ખીરામાં ક્રશ કરેલા આદું-મરચાં, છીણેલી દૂધી, હળદર અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે એક વાસણમાં તેલ મૂકીને તેમાં રાઈ અને તલ નો વઘાર કરીને તે વઘારને ખીરામાં ઉમેરી દેવો.
હવે એક કડાઈમાં થોડું તેલ મૂકીને બનાવેલા ખીરાને ચમચા વડે એક જાડો પુડા જેવું કરો અને તેને ઢાંકીને ચડવા દો. એક બાજુ ચડે એટલે તેને ફેરવીને બીજી બાજુએ ચડવા દેવો.